સમાજ કલ્યાણ દ્વારા આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ ફોર્મ શરૂ
આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીએ ધ્યાનમાં લેવાની બાબત
- અરજી કરતા પહેલા વિદ્યાર્થીએ www.esamajkalyan.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ સુચનાઓ ધ્યાને લેવી.
- વિદ્યાર્થીએ સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલ પિતા/વાલીની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
- અરજીમાં અધૂરી વિગતો દર્શાવેલ હોય તેમજ માંગવામાં આવેલ ડોક્યુમેન્ટ અધૂરા હશે તો અરજી માન્ય ગણવામાં આવશે નહી.
- અરજી સબમીટ કર્યા બાદ અરજીમાં સુધારા/વધારા થઈ શકશે નહી.
આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટેના માપદંડ
- આદર્શ નિવાસી શાળાઓમાં ધો.૯, ૧૦ અને ૧૨ માં પ્રવેશ મેળવવા માટેની અરજી ઓનલાઈનથી જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી પ્રમાણપત્રો પણ ઓનલાઇનથી અપલોડ કરવાના રહેશે.
- પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ઓછામાં-ઓછા ૫૦% ગુણ મેળવેલ હોવા જરૂરી છે.
- કન્યાઓના કિસ્સામાં ૪૫% ગુણ મેળવેલ વિદ્યાર્થીનીઓ અરજી કરી શકાશે.
- અનુ. જાતિ/અનુ. જન જાતિ/સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી વધુ પછાત/અતિ પછાત/વિચરતી વિમુકત જાતિના બાળકો તેમજ અપંગ, વિધવા તથા ત્યક્તા બહેનોના બાળકોના કિસ્સામાં ગત વર્ષના પરીણામમાં ૪૫% ગુણ મેળવેલ અરજદારો અરજી કરી શકશે.
- વિદ્યાર્થીના પિતા/વાલીની વાર્ષિક આવક રૂ.૬,૦૦,૦૦૦/- સુધીની હોય તેઓ અરજી કરી શકશે.
- પ્રવેશ માટે મળેલ અરજીઓ મુજબ ગુણના આધારે મેરીટ પ્રમાણે તથા સરકારશ્રીની વખતોવખતની સૂચના પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે.
>> ફોર્મ માટે જરૂરી તારીખ <<
- ફોર્મ શરૂ તા. : 03/05/2025
- ફોર્મ છેલ્લી તા. : 01/06/2025
- હાર્ડકોપી જમા કરાવવાની છેલ્લી તા. : 03/06/2025
ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC)
- આવકની દાખલો
- લાયકાત મુજબની માર્કસશીટ
- રેશન કાર્ડ
- મોબાઈલ નંબર
- ઈમેલ ID
👉 વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો
👉 ફોર્મ ભરવા માટે : અંહિ ક્લિક કરો
0 Comments